સરકારના ‘સંકટમોચક’ ગણાતા કે કૈલાસનાથન આખરે સેવાનિવૃત્ત

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન દાયકાથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યા બાદ 30 જૂને સેવાનિવૃત થયા હતા. આ IAS અધિકારી 2006માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી મુખ્યપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા હતા.

2014માં મોદી વડા પ્રધાન બન્યા પછી ગુજરાતમાં ત્રણ મુખ્ય પ્રધાનો આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને વર્તમાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં તેમણે સીએમઓમાં ફરજ બજાવી હતી. સીએમઓમાં આયોજિત વિદાય સમારંભના ફોટા પણ પોસ્ટ કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેમની શક્તિ વહીવટી કાર્યક્ષમતા, સમસ્યાઓ ઉકેલવાની અનોખી રીત અને સમજદાર કાર્યશૈલી હતી. “હું તેમને સ્વસ્થ અને શાંતિપૂર્ણ નિવૃત્ત જીવનની ઇચ્છા કરું છું,”
તેઓ વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા પરંતુ ત્યારબાદ સતત 11 વર્ષ સુધી કરાર આધારિત સેવા ગુજરાતના વહીવટી તંત્રને આપી હતી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

Comments on “સરકારના ‘સંકટમોચક’ ગણાતા કે કૈલાસનાથન આખરે સેવાનિવૃત્ત”

Leave a Reply

Gravatar